Subscribe Us

Breaking

Tuesday, May 10, 2022

વડીલો માટે જીવન સાથી પરિચય સંમેલન...

adsens every post                                                                                                                                               વડીલો માટે જીવન સાથી પરિચય સંમેલન...
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
સમગ્ર ભારતભરમાં વડીલો માટેના 67 જીવન સાથી સંમેલન ની ભવ્ય સફળતા બાદ આગામી પરિચય સંમેલન જગપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય મા ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા પરસ્પરનો પ્રેમ અને હુંફ મેળવવા,પાનખરમાં વસંત લાવવાનાં એક ક્રાન્તિ કારી કાર્ય રૂપે, એકલવાયું જીવન જીવતા વડીલો માટે એક અનન્ય અને અનોખા જીવન સાથી પરિચય સંમેલન નું ભવ્ય આયોજન ઈન્ટરનેશનલ એવોર્ડ વિજેતા અને ફિલ્મ અભિનેતા આમીરખાન ની સુપ્રસિદ્ધ સિરીયલ 'સ્વયમેવ જયતે ' દ્વારા સન્માનિત સંસ્થા ' અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદ ' દ્વારા તથા યજમાન સૌજન્ય-સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, પ્રભાસપાટણ-વેરાવળ અને શ્રી લોહાણા મહાજન-વેરાવળ ના સહયોગથી તા:29/5/2022 ને રવિવારના રોજ સવારના 9-00 કલાકે 'શ્રી રામ મંદિર ઓડીટોરીયમ-સોમનાથ ( પ્રભાસ પાટણ-વેરાવળ) મુકામે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ-જાતિ ના ભેદભાવ વિના તદન નિઃશૂલક આયોજન કરવામાં આવેલ છે.
બહેનો માટે જો બહેનો તરફથી અમારી સંસ્થાની પૂર્વ મંજુરી લેવામા આવેલ હશે તો તેઓને ટ્રેન-બસ ભાડાં ખર્ચની રકમ ચૂકવવામાં આવશે. તેમજ રાત્રી રોકાણ ની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 
બહારગામથી અને અન્ય રાજ્યોમાં થી દૂર થી આવનાર 150 વડીલો સ્ત્રી-પુરૂષ ઉમેદવારો માટે તા:28/5/2022શનિવાર અને તા:29/5/2022 રવિવાર એમ બે રાત્રી રોકાણ ની પણ વ્યવસ્થા A/C. રૂમમા કરવામા આવેલ છે.
મર્યાદિત સંખ્યામાં કાર્ય ક્રમ નું આયોજન હોવાથી વ્હેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટે નામ લખવામાં આવશે.
સંમેલન મા ભાગ લેવા ઈચ્છતા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યો ના પુરૂષો 51 થી 80 અને સ્ત્રી ઓ 45 થી 75 વર્ષ ના કુંવારા, છૂટાછેડા, વિધવા-વિધુર સ્ત્રી પુરુષોએ પોતાનો પાસપોર્ટ ફોટો તથા આધાર કાર્ડ ની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવું.
સંપર્ક:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
1.નવિનભાઈ પટેલિયા-રાજકોટ. 
મો.9924230003.
2.અનિષ એન. રાચછ -વેરાવળ 
મો.9898042042.
3.ભારતીબેન રાવલ-અમદાવાદ. 
મો.9099124512
4.નટુભાઈ પટેલ-અમદાવાદ. 
મો.9825185876.
ઉપરોકત મોબાઈલ નંબર ઉપર નામ નોંધાવવા વિનંતી છે. 
નોંધ :-
^^^^^^
કુલ સંમેલન-67.કુલ બાયોડેટા-14950.કુલ લગ્ન સફળતા-182.
કાર્ય ક્રમ ની રૂપરેખા :-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
સવારે 9 થી 11 રજીસ્ટ્રેશન. 
11 થી 12 ઉદ્ઘાટન. 
12 થી 14 પાત્ર પરિચય. 
14 થી 15 ભોજન. 
15 થી 16 પર્સનલ મીટીંગ. 
*******
આ ઉપરાંત અન્ય જરૂરી માહિતી આ સાથે અલગથી નીચેની વિગતે સામેલ છે જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.

No comments:

Post a Comment